ગાંધીનગરઃ રૂપાણી સરકારે ધોરણ-6થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે.

 ગાંધીનગરઃ રૂપાણી સરકારે ધોરણ-6થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે. 




આગામી 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 વર્ગો ફરીથી શરૂ કરાશે. પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની શાળાઓમાં ૧૮મી ફેબ્રુઆરી ને ગુરુવારથી ૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે.


શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.

Comments

Popular posts from this blog

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

5 રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર:

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો