રેલવે ભરતીની
આવેદન:રેલવે ભરતીની પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાયાની શંકા, પરીક્ષા રદ કરવા રેલવે સત્તાધીશોને આવેદન અપાયું
પરીક્ષામાં થયેલી ગરબડના લીધે પરીક્ષા કેન્સલ કરવા ધરણાં કરાયા હતા
રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગત તા.3-1-21ના રોજ લેવાયેલી જીડીસીઈ પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાયા હોવાની શંકા દર્શાવી આખી પરીક્ષા કેન્સલ કરી નવેસરથી પરીક્ષા લેવા મંગળવારે વે.રે.એ.યુનિ.નાનેજા હેઠળ પરીક્ષાર્થીઓએ પ્રતાપનગર ખાતે આવેદન આપી ધરણાં કર્યા હતા,જેમાં 250 રેલ કર્મી જોડાયા હતા.
વે. રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના સેક્રેટરી સંતોષ પવારે જણાવ્યું હતું કે ‘પરીક્ષામાં આઈ કાર્ડ યોગ્ય રીતે ચેક કરાયા ન હતા.સીટીંગ એરેજમેન્ટ પ્રોપર ન હતી.પરીક્ષા આપનાર વ્યકિતના સ્થાને એ જ પરીક્ષા આપવા બેઠો હતો કે બીજો કોઈ પરીક્ષાર્થી બેઠો હતો તેનું વેરીફીકેશન પણ કરાયું ન હતું.
Comments
Post a Comment